Satya Tv News

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર હાલ ચાલતી નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરથી સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતા માર્ગની કામગીરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી હાથ ધરવામાં આવી છે.કામગીરી શરૂ થતાં પહેલા જ કોન્ટ્રાકટરની અણઆવડત જોવા મળી હતી જે બાદ હાલ ધૂળિયા માર્ગ તરીકે આ માર્ગ ઊડતી ધૂળની ડમરીઓને પગલે જાણીતો બન્યો છે.મોટા વાહનોને પગલે ઊડતી ધૂળને લઈ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો હેરાન પરેશાન બન્યા છે.માર્ગ ઉપરથી એકવાર પસાર થાવ તો મેકઅપ કરવાની જરૂર નહીં પડે તેવા હાલ જોવા મળ્યા છે.ત્યારે તંત્ર પાણી છંટકાવ સાથે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

error: