Satya Tv News


અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરમાં ગતરોજ અવિરત વરસાદ વરસતા શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટી એરિયામાં વરસાદી પાણી ફરી વળતાં પૂર જેવી પરિસ્થિતી જોવા મળી હતી.વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોનો હાલ બેહાલ થઈ ગયો હતો ત્યારે ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બચાવ કામગીરીની ટીમો સાથે વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

error: