Satya Tv News

કંડલામાંથી એક મોટા સમાચાર સામે આવી રહી છે. જેમાં એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરતી વખતે પાંચ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના મોડી રાતે બની હોવાનું કહેવાય છે.સુપરવાઈઝર સહિત પાંચ શ્રમિકોના મોત થયા છે. હાલ મૃતકોના નામ જાહેર થયા નથી. આ મામલે કંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ પણ ટાંકી સાફ કરતા સમયે શ્રમિકોના મોત થયા છે ત્યારે આવી જ વધુ એક ઘટના બનતા શ્રમિકોની સેફટી પર પણ સવાલો ઉભા થયા છે.

error: