Satya Tv News

ભરુચ તાલુકાના નબીપુર ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ પ્રિન્સ હોટલ ઉપર ડ્રોપ થયેલ રઘુનાથ લકઝરી બસના દ્રાઈવર તેમજ કંડકટરે 140 જેટલા પેસેન્જરોને મૂકી રફુચક્કર થઈ જતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે

સુરતથી પોતાના પરિવાર સાથે દિવાળી કરવા માદરે વતન જઇ રહેલા પેસેન્જરો રસ્તામાં અટવાય પડ્યા છે અને પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાનું સ્વપ્નું અધુરું રહેશે તેવો ભય પેસેન્જરો સેવી રહ્યા છે. સુરતથી 3-4 હજાર રૂપિયા જેટલું ભાડું ખર્ચી વતન જઈ રહેલા મુસાફરો ભૂખ્યા તરસ્યા રસ્તામાંજ પડી ભાંગ્યા છે. પેસેન્જરોના જણાવ્યા અનુસાર સુરતથી પેસેન્જરો લઈ નિકરેલી રઘુનાથ લકઝરી બસ જેનો રજિસ્ટ્રેશન નંબર RJ-06-PA-4111 નબીપુર નજીક આવેલી પ્રિન્સ હોટલ ઉપર ડ્રોપ થઈ હતી. જ્યાં દ્રાઈવર નશો કરી સુઈ ગયો હતો જે બાદ 140 જેટલા પેસેન્જરો સહિત બસ મૂકી દ્રાઈવર કંડકટર ફરાર થઈ ગયા હતા જેથી મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: