Satya Tv News

બે દિવસ પહેલા સુરતની મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવા જતા બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ બાળકની શોધખોળ શરૂ કરી હતી. જોકે આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પત્નીના અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધોને લઈને કંટાળેલા પતિએ જ પુત્રને તાપી નદીમાં ફેંકી તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા ૧૨ વર્ષીય ઝાકીર થઈ જજે 31 ઓક્ટોબરના બપોરે પરિવાર સાથે મકાઈ પુલ પર પહોંચ્યો હતો અને ત્યાં બાળકનું તાપી નદીમાં પડી ગયા ની જાણકારી આપવામાં આવી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરતાં બાળકને સેલ્ફી લેતા સમયે આ બાળક તાપી નદીમાં પડી ગયા હોવાનું પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે બાળક તાપી નદીમાં પડી ગયું તો તેના પિતા સઈદ ઈલ્યાસ શેખ ની પૂછપરછ શરૂ કરતા વ્યક્તિઓ તૂટી પડયો હતો અને તેને પત્ની સાથેના પારિવારિક ઝગડા અને ખાસ કરી પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધોને લઈને તે કંટાળી ગયો હતો.

આ ઉપરાંત આ બાળક પણ પત્નીના પ્રેમીને અબ્બા કહીને બોલાવતો હતો જેને લઇને પિતાને ગુસ્સો આવ્યો હતો અને જેને લઇને આ પિતા પરિવાર સાથે મકાઈ પુલ પહોંચ્યો હતો અને ત્યાં બાળકને તાપી નદીમાં ફેંકી દીધું હતું.જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી અત્યારે પિતાની ધરપકડ કરી છે જોકે પતિ-પત્નીનાં બનાવને લઇને પતિ પત્ની છેલ્લા લાંબા સમયથી અલગ રહેતા હતા અને દિવાળી હોવાથી પોતાના બાળકને ફટાકડા આપવા માટે ઘરેથી લઈને નીકળ્યો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો જો કે બાળકની શોધખોળ બાદ ત્રણ દિવસ બાદ બાળકની રાજસ્થાની નદીમાંથી મળી આવી હતી જોકે પોલીસે આ મામલે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત

error: