Satya Tv News

અંકલેશ્વર ખાતે નવ નિર્મિત સુરવાદી બ્રીજ ઉપર એક પુર ઝદપે આવતી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજઓ પહોંચી હતી.

અંકલેશ્વર સુરવાડી ગામ નજીકના બ્રિજ ઉપર આજે એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે બ્રિજ ઉપર થી પસાર થતા વાહન ચાલકો પોતાના વાહન થંભાવી દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇજા પામનાર બાઇક સવારને તાત્કાલિક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ ધટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે ધર્મન્દ્ર પ્રસાદ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: