Satya Tv News

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે આજરોજ કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી હતી.અને સાથે સાથે આ રેડિયો સ્ટેશનને અનેક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

શીવરામ પરમારે જણાવ્યું હતું કે આ રેડિયો સ્ટેશન અહીં આવનાર દરેક મુલાકાતીઓને પળેપળ થી માહિતગાર કરશે તેમજ અહીંના લોકલ કલાકારો ને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે નો એક મજબૂત પાયો બનશે.શિવરામભાઈ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો કલા,સંગીત અને પ્રકૃતિ ની સુંદરતા થી ભરેલો છે આવનાર સમયમાં આ રેડિયો સ્ટેશન અહીં આ કલાકારોને આગળ વધવામાં,તેમની કલાને બહાર લાવવામાં એક ઉત્તમ માધ્યમ બની રહેશે.

થોડાક સમય પહેલા રેડિયો લુપ્ત થવાના આરે હતો પરંતુ જ્યારથી આપણાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે “મન કી બાત” કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારથી ફરી થી રેડિયો જીવંત થયો છે.આજે ગામે ગામ ફરી થી લોકો રેડિયો સાથે જોડાઈ રહ્યા છે અને રેડિયો પર પ્રધાન મંત્રી ની મન ની વાત નો આનંદ પણ માણી રહ્યા છે.

ભવિષ્યમાં આ રેડિયો સ્ટેશન ગુજરાત અને ભારતમાં એક ઉત્તમ રેડીયો મથક બની રહે એવી પણ એમણે શુભેચ્છાઓ આપી હતી. આર.જે વિરાટ અને આર જે મહેશ સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના જીવનની વાતો કરી અને આગળ વધવા માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ્યું હતું આજના ટેક્નોલોજીના યુગમાં દરેક કલાકાર પોતાની કલાને સરળતાથી બહાર લાવી શકે છે અને આ માટે રેડિયો સ્ટેશન પણ એક ઉત્તમ મદદગાર તરીકે સાબિત થશે તેવું પણ જણાવ્યું હતું. આ રેડિયો સ્ટેશનને આગળ લાવવા માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે ત્યારે શિવરામ પરમાર પણ સંગીત અને ટેકનોલોજી લક્ષી કોઈપણ જરૂરિયાત ને પૂરી પાડવા હંમેશા અડીખમ ઊભા રહેશે તેવું જણાવ્યું હતું.
આ સાથે તેમણે કેવડિયા ના ડેપ્યુટી કલેક્ટર દુબે નો ખાસ આભાર માન્યો હતો.

રાજપીપલામા બાળ કલાકાર થી સંગીતની કારકિર્દી શરૂ કરી મુંબઈ સુધી હિન્દી ફિલ્મ મા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે ની સંઘર્ષમય સફરની ચર્ચા કરતાં શિવરામ પરમારે સઁગીત કળાની રસપ્રદ ચર્ચાઑ એફ એમ રેડિયો પર કરી ખુશી વ્યક્ત કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ: જ્યોતિ જગતાપ સાથે દિપક જગતાપ,સત્યા ટીવી,રાજપીપલા

error: