Satya Tv News

અંકલેશ્વરના કોસમડી ગામે આવેલ ઉમંગ સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નીશાન બનાવતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

અંકલેશ્વરના કોસમડી ગામની ઉમંગ સોસાયટીમાં તસ્કરોએ બે મકાનને નીશાન બનાવવની ઘટના સામે આવી છે, જેમાં બંન્નેવ મકાન મળી કુલ રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર જેટલી માલમત્તાની ચોરી થયાનું બહાર આવ્યું છે. ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.જો કે ચોરીની આ ઘટનાને પગલે રહિશોમાં ફફ્ડાટ જરૂર ફેલાયો છે.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: