Satya Tv News

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી છ દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી શંકા કુશંકા વચ્ચે વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પોલીસ મથકમાં મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12 મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો. 17 વર્ષીય કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. ગૂમ થયેલ કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ ગામના રહીશો દ્વારા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસે કુમક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતદેહ મોટલી ગામના 17 વર્ષીય કિશોર જીગ્નેશ વસવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કિશોરના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી અનેક શંકા કુશંકા વચ્ચે તપાસનો દોર શરુ કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: