Satya Tv News

અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉનહોલ ખાતે આજથી સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે

છેવાડાના એકપણ સાચા લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત નહીં રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે જેને ભાગરૂપે આજરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉનહોલ ખાતે નગર પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આધાર કાર્ડ,રેશન કાર્ડ અને વિવિધ 56 જેટલા પ્રશ્નોનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: