Satya Tv News

વાલિયા-દેસાડ માર્ગ ઉપર વિદ્યાર્થીઓ ભરેલ રીક્ષા પલ્ટી જતા ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી

આજરોજ સાંજના સમયે રીક્ષા ચાલક વાલિયા ખાતે આવેલ શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓને લઈ વાલિયા-દેસાડ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રીક્ષા ચાલકનો સ્ટેયરિંગ પર કાબુ નહીં રહેતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: