Satya Tv News

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખારીયા ગામે રહેતા ૬૨ વર્ષીય ચંદુભાઈ માધવભાઇ વસાવા તા ૨૫.૧૧.૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર ક્યાંક જતા રહયા હતા. પરિવારના સભ્યોએ તેમની શોધ કરવા છતા કોઈ પત્તો લાગ્યો ન હતો.

દરમિયાન આજરોજ પોલીસને માહિતિ મળી હતી કે કોઈ અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ કુંવરપરા ગામની સીમમાં નહેરવાળા વિસ્તારમાં મળી આવ્યો છે. આ બાબતે પોલીસે તપાસ કરતાં આ મૃતદેહ ગતરોજ ગુમ થયેલ ખારીયા ગામના ચંદુભાઈનો હોઈ શકે છે, એમ જણાતા તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુકે તે મૃતદેહ ખારિયાના ગુમ થયેલ વૃદ્ધ નોજ છે. તેમના પરિવારે આપેલ જાણકારી મુજબ તેઓને આંખે ઓછું દેખાવાના કારણે ખેતરના શેઢા ઉપર ચડવા જતા પડી ગયા હશે, તેથી તેમને ડાબી આંખની પાંપણની ઉપર કંઇક વાગી જતાં લોહી વધારે નિકળી જવાના કારણે તેમનું મોત નિપજ્યુ હોવાનું જાણવામાં આવ્યુ હતુ. આ બનાવ અંગે સાવીત્રીબેન મહેન્દ્રભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

વિડીયો જર્નાસ્લીટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા

error: