Satya Tv News

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગર ખાતે શ્વાનના મુદ્દે પરિવારે યુવતીને મારમારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ રામનગરમાં રહેતી ૨૩ વર્ષીય કાજુમીબેન જીતેશ શ્રીવાસ્તવ ગતરોજ રાતે પોતાનું પાલતું શ્વાન લઇ નાઈટ વોક પર નીકળી હતી તે દરમિયાન ઘરનો દરવાજો ખોલતા શ્વાન ઘરની બહાર નીકળી ગયું હતું અને સોસાયટીમાં રહેતા જયરામ પટેલના ઘર પાસે આવતા જ મકાન માલિકે તેને ઈંટ મારતા યુવતી તેઓને કહેવા જઈ હતી કે શ્વાન નાદાન જાનવર હોય તમારે કાઈ કહેવું હોય તો મને કહો તેમ કહેતા જયરામ પટેલનાઓ યુવતીને અપશબ્દો ઉચ્ચારી તું તેને તારા ઘરે રાખ એમ કહી ઝઘડો કર્યો હતો જે ઝઘડાનું ઉપરાણું લઇ મયુર જયરામ પટેલ,શીતલ જયરામ પટેલ અને રંજનબેન જયરામ પટેલે યુવતી સાથે માથાકૂટ કરી તેને મારમાર્યો હતો મારમારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: