Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે નીલેશ ચોકડી પાસે ટેલરે ટ્રક અને ખાનગી લક્ઝરી બસને ટક્કર મારતા તમામ લોકોને આબાદ બચાવ થયો હતો

ભરૂચના ઝાડેશ્વર ખાતે રહેતા બાબુ કૃષ્ણલાલ અજમેરી આકાશ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર-જી.જે.૦૬.ઝેડ.૩૮૮૩ શક્તિનાથ ખાતેથી જાનૈયાઓને લઇ વાપી ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર-સુરત ટ્રેક ઉપર નેશનલ હાઇવે નીલેશ ચોકડી પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ટેલર નંબર-આર.જે.૦૯.જી.સી.૫૫૫૫ના ચાલકે આગળ ચાલતી ટ્રક બાદ જાનૈયા ભરેલ લક્ઝરી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો જો કે લક્ઝરી બસને ૫૦ હજારનું નુકશાન થયું હતું અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: