Satya Tv News

અંકલેશ્વર ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીની ઘટના
17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
બી ડીવીઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો
મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના ગડખોલની સરસ્વતી પાર્ક સોસાયટીમાં 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ ઝારખંડના અને હાલ અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા ૧૭ વર્ષીય યશરાશ સિંગ તેના ઘરે એકલો હતો તે દરમિયાન અગમ્ય કારણોસર ઘરમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ અંગે પડોશીઓએ બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: