Satya Tv News

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભંગારના જથ્થામાં શંકાસ્પદ ઈસમોની કરી ઝડપી

મદીના મસ્જીદ પાસેના કોમ્પ્લેક્ષમાંથી શંકાસ્પદ બે ઈસમની ઝડપી

ભરૂચ એસ.ઓ.જી.એ ભંગારીયાને ઝડપી પાડ્યો

૨૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં મદીના મસ્જીદ પાસે મદીના કોમ્પ્લેક્ષમાંથી શંકાસ્પદ એસ.એસ.ના જથ્થા સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ભંગારીયાને ઝડપી પાડ્યો હતો

YouTube player

ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટમાં મદીના મસ્જીદ પાસે મદીના કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૨માં તપાસ કરતા તેમાંથી એસ.એસ.ની નાની-મોટી ફ્લાન્સોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દુકાનના માલિક અને કાપોદ્રા ગામની ગ્રીન વેલી રો હાઉસમાં રહેતો અબ્દુલ સલામ અબ્દુલ કલામ ચૌધરીને એસ.એસના જથ્થા અંગે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૨૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: