Satya Tv News

અંકલેશ્વરમાં ૨૭ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો

વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ બનાવ્યું નિશાન

રૂ.૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના જુના દીવા,જુની દીવી સહીત પાંચ ગામની સીમમાંથી ૨૭ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ ૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

YouTube player

અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ ખેતીવાડી ફીડર ઉપર વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો થયો છે.અંકલેશ્વરના જુના દીવા ગામની સીમમાં આવેલ હિતેન્દ્રસિંહ દીપસિંહ રાજ અને કલ્પેશ ભીખા ખુંટના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે જે બંને વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોઈલની મળી કુલ ૩૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જ્યારે આવી જ રીતે જુના બોરભાઠા બેટ,આંબોલી,પીરામણ ગામની સીમ સહીત પાંચ સ્થળોએથી મળી ૨૭ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઇલ મળી કુલ ૭.૮૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: