Satya Tv News

અંકલેશ્વરમાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. શહેરની  જૂની કોલોની પાછળ ગટરમાં ખાબકતા એક બાળકનું મોત થયું છે.  DPMCની ટીમે રેસ્ક્યુ કરી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. 9 વર્ષીય કિશન વસાવા નામક બાળકનું પાણીમાં ગરકાવ થતા મોત નિપજ્યું. GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. 

error: