Satya Tv News

સગીરાને લગ્નની લાલચ આપી કર્યો અપહરણ
ભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયો
સારંગપુર ગામેથી છે ઘટના

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈને જી.આઈ.ડી.સી.પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષ ૯ મહિનાની સગીરાને યુપીના મનગાવ ગોડા ખાતે રહેતો પિતરાઈ ભાઇ ગત તા.૧૬મી એપ્રિલના રોજ પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ભાગી ગયો હતો.આ અંગે સગીરાની માતાએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી યુવક તેમજ સગીરાને અટક કર્યા હતા.

જોકે સગીરાએ પોલીસ સમક્ષ એવુ નિવેદન આપ્યુ હતુ કે મે મારી મરજી થી પિતરાઈ ભાઇ સાથે ભાગી ગઈ હતી અને મારી મરજીથી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. હાલ તુરંત પોલીસે સગીરા ને ભગાડી જનાર પિતરાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.

error: