Satya Tv News

ડ્રાઈવિંગ કરતા ડોકટરને ઝોકું  આવી ગયુંલગ્ન પ્રસંગેથી પાછા આવતા પરિવારને અકસ્માતઃ સાત ઘાયલ

નાશિકમાં બ્રીજ પરથી કાર નદીમાં ખાબકતા થયેલા ભીષણ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ જણ મોતને ભેટયા હતા. જયારે  સાતને ઈજા થઈ હતી.  તેમને હોસ્પિટલમાં  લઈ જવામાં આવ્યા હતા.  પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.

અકસ્માતનો ભોગ બનેલો પરિવાર લગ્નમાંથી ઘરે પાછા આવી રહ્યા  હતા ત્યારે આ ઘટના બની હોવાનું કહેવાય છે. 

પોલીસે જણાવ્યું હતું કે  નાંદગાવ-માલેગાવ  રોડ પર  પંઝાન નદી પર આવેલા બ્રીજ પાસે આ અકસ્માત થયો હતો.કારમાં ડોકટર યાકુબ રમઝાન મંસૂરી જાલનાથી માલેગાંવ આવી રહ્યા હતા  ડો.મંસૂરી  કાર  ચલાવી રહ્યા હતા તેમને ઝોકુ આવી જતા કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર નદીમાં પડી જતા ડો.મંસૂરી, અફરોઝ અબ્દુલ લતીફ ચાર વર્ષીય શિફાનું મૃત્યુ થયું  હતું.સ્થાનિક લોકોની  મદદથી મૃતક અને  ઈજાગ્રસ્તને  કારમાંથી  બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને  સારવાર માટે જુદી જુદી  હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એમાંથી બેની હાલત ગંભીર છે.

આ મામલે પોલીસે ૩૦૪ (અ) ૨૭૯ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

error: