Satya Tv News

બિપોરજોય વાવાઝોડા બાદ જૂન મહિનો અંત તરફ આવવા છતાં હજી વિધિવત ચોમાસએ આગમન કર્યું નથી. હાલ મોન્સૂન એક્ટિવિટી હેઠળ માત્ર વાદળો છવાવવા સાથે હલકા ઝાપટાં વરસી રહ્યા છે.ગુરૂવારે પણ શહેર અને જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા. હાંસોટ તાલુકામાં 2 મિમી અને અંકલેશ્વરમાં એક મિમી વરસાદ નોંધાયો હતો.આગામી શનિ અને રવિવારે ભરૂચ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી મોસમ વિભાગે જારી કરી છે

error: