Satya Tv News

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જેલના અધિકારી,કર્મચારીઓ તથા બંદિવાનો દ્રારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રાજપીપળા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ તથા મુલાકાતી બોર્ડના સભ્ય દક્ષા પટેલ તથા જયોતિ જગતાપ,તથા અલ્પા ભાટિયા દ્રારા રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણેશજીની આરતી કરવામાં આવી હતી. તેમજ જેલના બંદિવાનો જેલની બહાર નીકળીને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃતિ ન કરે તેમજ કોઇપણ પ્રકારનું વ્યસન આચરે નહિં તેવો શુભ-સંદેશ આ મહિલા આગેવાનોએ પાઠવ્યો હતો.આ પ્રસંગે જેલ અધિક્ષકશ આર.બી.મકવાણા, મહિલા આગેવાન મહાનુભાવો તેમજ રાજપીપળા જીલ્લા જેલના અન્ય કર્મચારીઓ તથા બંદિવાનો હાજર રહ્યાં હતાં.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

error: