Satya Tv News

ભરૂચ શહેરમાં અવાવરા કુવામાં પડતા યુવાનનું મોત

આલી હરિજન વાસ નજીક બની ઘટના

40 વર્ષીય યુવાનનું ડૂબી જતા થયું મોત

ભરુચ શહેરના આલી હરીજનવાસ વિસ્તારમાં આવેલ અવાવરુ કૂવામાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું

ભરુચ શહેરના આલી હરીજનવાસ વિસ્તારમાં આવેલ અવાવરુ કૂવામાં એક યુવાન પડી ગયો હોવાનું સ્થાનિકોએ જતો રહીશોએ ભરુચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેન પગલે ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા. અને ભારે જહેમત ઉઠાવી યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. મૃતક યુવાન આલી માતરિયા તળાવ ખાતે રહેતો 40 વર્ષીય મહેશ ભગુભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: