Satya Tv News

YouTube player

માનવ મંદિર ખાતે શત્તામૃત મહોત્સવ
દાદાના રથનું ભવ્ય સ્વાગત કરાયું
BJPના આગેવાનો,ભક્તજનોએ કર્યું સ્વાગત
ભક્તોએ મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી

અંકલેશ્વરના માનવ મંદિર ખાતે શત્તામૃત મહોત્સવ પ્રસંગે નીકળેલ દાદાના રથનું ભાજપના આગેવાનો અને ભક્તજનોએ ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.

વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા આગામી 16 થી 22 નવેમ્બર સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ ઉત્સવ પહેલા હનુમાન દાદાના આશીર્વાદ લોકોને ઘરે બેઠા મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિરથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું ભરૂચ શહેરમાં રવિવારે આગમન થયું હતું.શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો રથ મંગળવારના રોજ અંકલેશ્વરના માનવ મંદિર ખાતે શત્તામૃત મહોત્સવ પ્રસંગે નીકળેલ દાદાના રથનું ભાજપના આગેવાનો અને ભક્તજનોએ ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.ભાજપના શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ,મહામંત્રી અલ્પેશ પટેલ અને એ.આઈ.એના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનો,સ્થાનિકો તેમજ ભાવિક ભક્તોએ દાદાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: