Satya Tv News

ITI ખાતે પદવીદાન સમારોહ યોજાયો
ITI ખાતે વિવિધ ટ્રેડમાં કૌશલ્ય તાલીમ
તાલીમાર્થીઓને રાષ્ટ્રીય પ્રમાણ પત્ર વિતરણ

અંકલેશ્વર આઇટીઆઈ ખાતે વિવિધ ટ્રેડમાં કૌશલ્ય તાલીમ મેળવી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉત્તીર્ણ થયેલા 800થી વધુ તાલીમાર્થી રાષ્ટ્રીય પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર આઇટીઆઈ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ટ્રેડમાં કૌશલ્ય તાલીમ મેળવી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થી આમંત્રિત મહેમાનોન હસ્તે રાષ્ટ્રીય પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.આ કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં 800થી વધુ તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.અને તેઓને રોજગારી અને સ્વરોજગારી ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા અંગેની શુભેચ્છા પાઠવવામા આવી હતી. આ પદવીદાન સમારોહમાં પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા,ભાવેશ કાયસ્થ તેમજ આઇટીઆઈના આચાર્ય બી.ડી.રાવલ અને આમંત્રિતો સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: