Satya Tv News

અંકલેશ્વર તાલુકાનાં એક ગામની વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર તાલુકાનાં એક ગામમાં રહેતી 27 વર્ષીય વિધવાને ગામના જ વિમલ નાનું વસાવાએ ફોન કરી વારંવાર પરેશાન કરી સંબંધ રાખવા જણાવતો હતો જો તું નહીં આવે તો હું મરી જઈશ તેમ કહેતા વિધવા તેની પાસે જતાં તેણે મહિલાને તું સંબંધ નહીં રાખે તો તારા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપી વિધવાને ગત તારીખ-27-2-2024ના રોજ રાતે અઢી કલાકે વિમલ વસાવા હાઇવે ઉપર લઈ ગયા હતા જ્યાંથી બસમાં બેસાડી સુરત ખાતે લઈ ગયા હતા જ્યાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.જે બાદ વિમલ વસાવાના ભાઈ સાથે મહિલાને તેના ગામમાં પરત લાવી તેને સાથે નહીં રાખવાનું કહેતા મહિલાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 376 હેઠળની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી નવા છાપરા ગામના વડ ફળિયામાં રહેતો વિમલ નાનું વસાવાને ઝડપી પાડ્યો હતો.

error: