Satya Tv News

ઓફિસ-ગોડાઉનમાંથી ચોરી
વાયર અને પ્લમ્બિંગ ની ચોરી
કુલ 79 હજારના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસ-ગોડાઉનમાંથી વાયર અને પ્લમ્બિંગ સામાન મળી કુલ 79 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સંસ્કારધામ સોસાયટીમાં રહેતા ચાર્મિશ જયેશકુમાર મોદી કન્સ્ટ્રક્શનનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓ અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે.જે કામગીરી માટેનું તમામ સામાન ઓફિસ અને ગોડાઉનમાં રહે છે.જે બંને જગ્યા ઉપર તારીખ-11મી એપ્રિલના રોજ તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બોરી વાટે અંદર પ્રવેશ કર્યો હતો અને વાયર અને પ્લમ્બિંગ સામાન મળી કુલ 79 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: