Satya Tv News

સંજાલી ગામના ઘંટી ફળિયામાં શંકાસ્પદ મોત
દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત
શંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ યુપી અને હાલ અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના હોળી ચકલા ફળિયામાં રહેતો 34 વર્ષીય સંદીપ હીરાલાલ ચૌરસિયા ગતરોજ સાંજના સમયે ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જે અંગે સ્થાનિકોએ પાનોલી પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવાનને જગાડી જોતાં તે નહીં ઉઠતાં પોલીસે ડોકટરને બોલાવ્યા હતા તબીબે તેને તપાસ કરતાં તે મરણ ગયેલ હોવાનું જણાવ્યુ હતું પોલીસે આ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

error: