Satya Tv News

ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા પુનગામ ખાતે સ્થાનિકોએ ભાજપા ના પ્રચાર અર્થે નીકળેલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી, ગાળાગાળી ની ઘટના બાદ આજે ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં આવી હતી.

ગઇ કાલની ઘટનામાં ગામ બહાર થી આવેલ કેટલાક લોકોની ખોટી ઉશકેરણી થી મામલો બીચક્યો હોવાની વિગતો બહાર આવી હોવાનુ ભાજપાના સૂત્રોએ જણાવ્યું હતુ. ગામના જ આગેવાનોએ આજે આગેવાની લઇ ભાજપા ની પ્રચાર રેલી યોજી હતી જેમાં સાતસો થી આઠસો લોકો જોડાયા હતા જેમાં કહેવાય છે કે સૌ થી વધુ આદિવાસી મહિલાઓ જોડાઈ હતી.ભાજપના તાલુકાના અગ્રણીઓ એ જણાવ્યું હતુ કે પુનગામના સ્થાનિક લોકો હર હંમેશ ભાજપ સાથે રહ્યા છે અને આગામી ચુંટણીમાં પણ ભાજપ ની સાથે જ રહેશે તે આજની વિશાળ પ્રચાર રેલી થી ફલિત થઇ જાય છે.

error: