Satya Tv News

અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી પરણીતાને પતિ દ્વારા દહેજની માંગ કરી માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી સિમરન સોલંકીને વર્ષ-2021માં સફેદ કોલોની ખાતે રહેતો રાજવીજ ઉર્ફે નાન્યો કૈલાશ હૂંડીવાલા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્ન દરમિયાન પતિ દ્વારા પરણીતાને એનકેન પ્રકારે લડાઈ ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી તું મને ગમતી નથી હું બીજી પત્ની લઈ આવીશ.દહેજમાં ત્રણ લાગણી માંગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતાં મહિલાએ પતિ વિરુધ્ધ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

error: