Satya Tv News

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે.ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં દાંડીયા બજાર ચોકી પર હેડ કોન્સ્ટેબલ અશોક કાનાભાઈ બડિયાવદરા ફરજ બજાવતા હતા.તેઓ પત્ની અને બે બાળકીઓ સાથે સોનેરી મહેલ પોલીસ લાઈનમાં આવેલા તેમના ક્વાર્ટરમાં રહેતા હતાં.આજ રોજ તેઓ પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હોય અને તેમની પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતાં.આ સમયે અશોકભાઈએ રસોડામાં પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ત્યાર બાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી પરત ઘરે આવતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા જ બુમાં બુમ કરતા જ આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા.આ ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા જ પીઆઈ વી.યુ.ગડરિયા અને પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતક અશોકભાઈને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.જોકે અશોકભાઇએ ક્યાં કારણોસર આપઘાત કર્યો એ જાણી શકાયુ નથી.

error: