Satya Tv News

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગરમાં ગત તા.૧૭ નવેમ્બરના રોજ રૂપિયાની લાલચમાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અત્રેના મીરાનગર માં થયેલી હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી રંજન મોહન્તોની બિહાર ખાતેથી ધરપકડ કરી હતી. આ અગાઉ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યામાં સંડોવાયેલા અરુણ ઠાકોરની અટકાયત કરી હતી.આ બંને હત્યારાઓએ રૂપિયાની લાલચમાં પોતાના જ મિત્ર અને સહકર્મી મિથીલેશસિંહ પ્રમોદસિંહની કરપીણ હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયા હતા.

ગત તા. ૨૧ નવેમ્બરના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે પોલીસની મદદ મેળવી રતલામ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાં બેસેલ અરુણ ઠાકોરની અટકાયત કર્યા બાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અન્ય આરોપી રંજન મોહન્તોને ઝડપી પાડયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત તા.૧૭મી નવેમ્બરના રોજ આ બન્ને આરોપીઓએ પોતાના જ મિત્ર મિથીલેશસિંહના પી.એફ. ખાતાના નાણા લેવા માટે તેની કરપીણ હત્યા કરી મીરાનગર વિસ્તારની ઝાડીમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: