Satya Tv News

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ શુભમ રેસીડેન્સીમાં 23 વર્ષીય પરિણીતાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતા વિભાગીય પોલીસ વડાએ તપાસની દોર સંભાણી છે.

પોલીસ સુત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગાડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રાજપીપલા રોડની શુભમ સોસાયટીના મકાનમાં નંબર 95માં ઝા પરિવાર અંદાજીત ચાર વર્ષ ઉપરાંતથી રહી પોતાના સાડા ત્રણ વર્ષના બાળક સાથે પરિવાર જીવન ગુજારી રહ્યા છે.જે દરમ્યાન ગતરોજ સાંજના સુમારે રોશન ઝાના 23 વર્ષીય ધર્મપત્ની પલ્લવી ઝાનાઓ કોઈક અગમ્ય કારણોસર દુપટ્ટા વડે સિલિંગ પંખા સાથે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. જેની જાણ તેઓના પતિ રોશન ઝાને થતા તેઓએ તાત્કાલિક પલ્લવી ઝા ને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પંરતુ હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

ઘટના અંગેની જાણ જીઆઈડીસી પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિવારનો લગ્નનો સમય ગાળો સાત વર્ષથી ઓછો રહેતા મામલતદારની રૂબરૂમાં પેનલ પી.એમ. કરી વિભાગીય પોલીસ વડાએ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર.

error: