Satya Tv News

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી
રેલવે ફાટક નજીક કેનાલના નાળા પાસેથી પાણીમાં ડૂબેલી હાલતમાં મળ્યો મૃતદેહ
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલીવરસાની શોધખોળ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં આવેલ કેનાલ માંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

મૂળ મધ્યપ્રદેશના ધરમપુર ગામનો રહેતો 23 વર્ષીય યુવાન સુમન પ્રકાશ રેકવાર અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં આવેલ રેલવે ફાટક નજીક કેનાલના નાળા પાસેથી પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે સ્થાનિકોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મળવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગર પાલિકા સરકારી દવાખાને ખસેડી તેના વાલીવરસાની શોધખોળ હાથ ધરી છે.

વિડીયો જર્નાસ્લીટ કલ્પેશ પટેલ ધર્મેન્દ પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: