Satya Tv News

હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર

10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે

10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો અપાય છે.

ભરૂચ શહેરની અનઇવન ટોપોગ્રાફીનો પડકાર

હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે. ભરૂચ નગરપાલિકાએ પાણી પુરવઠાની વ્યસ્થાને આધુનિક સ્વરૂપ આપી ફિલ્ટરેશન પ્લાન્ટ અને શહેરની 10 ટાંકીઓની સંપૂર્ણ કામગીરીને એક કંટ્રોલરૂમથી સંચાલિત કરી છે. આ આધુનિક ટેક્નોલોજી મેન્ટેનન્સ કોસ્ટ , વીજ ખર્ચ અને પાણીનો વ્યય ઘટાડશે. આવી જાણીએ શું છે આખો પ્રોજેક્ટ

ઔદ્યોગિક નગરી ભરૂચમાં નગરપાલિકા હદ ક્ષેત્રમાં રહેતા દોઢ લાખથી વધુ લોકો 44 MLD પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે આ પાણી સ્ટોર કરી 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો અપાય છે.

ભરૂચ શહેરની અનઇવન ટોપોગ્રાફી પાણી પુરવઠા વિભાગ માટે એક પડકાર સમાન મનાય છે. ભરૂચના કેટલાક વિસ્તાર ઊંચા ટેકરા ઉપર છે જયારે કેટલાક વિસ્તારો નર્મદા નદીના કિનારા સહીત નીચાણવાળા સ્થળોએ આવેલા છે. આ સંજોગોમાં પ્રેસર મેન્ટેન રાખવું પડકાર સમાન બની રહ્યું છે. કર્મચારી વાલ્વ ખોલવામાં થોડી પણ બેદરકારી રાખે તો લીકેજ અને મોટરને નુકસાન જેવા પરિણામ સામે આવે છે.

સમસ્યાનો હલ કાઢવા ભરૂચ નગર પાલિકાએ કેન્દ્ર સરકારની અમૃત મિશન યોજન હેઠળ વોટર સપ્લાયની આખી પ્રક્રિયા ડિજિટલ અને ઓટોમેટિક બનાવી છે. વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ પાસેથી મળતી માહિતી અનુસાર આ અપગ્રેડેશનથી પાણી અને વીજળીના વ્યય ઉપર બ્રેક લાગવા સાથે મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો આવશે

અત્યારસુધી પમ્પ બંધ – ચાલુ કરવા, લેવલીંગ , ફ્લો અને પ્રેસર મેન્યુઅલ કરાતા હતા. હવે આખી પ્રક્રિયા ટેક્નોલોજી આધારિત બની છે. વોટર સપ્લાયના આખા નેટવર્ક જેમાં 10 ટાંકી , સમ્પ અને ફિલ્ટરેશન પ્લાન્ટને પાલિકા સ્થિત કંટ્રોલરૂમ સાથે જોડવામાં આવ્યા છે. હવે તમામ કામગીરી ટેક્નોલોજીથી સેન્સરની મદદથી થાય છે. વિભાગના ઈજનેર વિશ્વજીતસિંહના જણાવ્યા અનુસાર કર્મચારી વાલ્વ સહેજ પણ વધુ ખોલે તો પ્રેસર વધવાથી લીકેજ જેવી સમસ્યાઓ આવતી હતી જે હવે ભૂતકાળ બનશે.

6 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આગામી સમયમાં પણ ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે. ૩ વર્ષથી આ સિસ્ટમની ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદરી સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર કંપનીની રહેશે જે ભરૂચ શહરમાં અવિરત પાણી પુરવઠો શહેરીજનો સુધી પહોંચે તેની ખાતરી પણ રાખશે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: