Satya Tv News

પાણીનો પ્રશ્ન 10 વર્ષ જૂનો હોવાનું મળ્યું જાણવા
અનેક વાર રજૂઆત કરતા નથી આવતો કોઈ નિરાકરણ

અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે

અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારમાં પાણીના બગાડ મુદ્દે નગર પાલિકા પ્રમુખ અને અધિકારીઓએ વિસ્તારની મુલાકાત કરી પાણીનો બગાડ કરતાં લોકો સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી પરંતુ આ પાણીનો પ્રશ્ન 10 વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિકોએ આ અંગે અનેક વાર રજૂઆત કરી છે પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં અન્ય વિસ્તારમાંથી પણ પાણી આવતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે અને ત્યારે પંચાટી બજાર વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં દર્શન અર્થે જતાં ભક્તો પણ હાલાકી વેઠી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ફકત લટાર મારવા આવું એના કરતાં પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

જર્નાસ્લીટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: