Satya Tv News

અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દૂ ધર્મ સેના દ્વારા હિન્દૂ સંમેલનનું આયોજન
હિન્દૂ સમાજના હિત માટે સંત સમુદાયનું મહા ચિંતન
ડાયરામાં સંતો મહંતો અને ધર્મપેમી લોકો જોડાયા


અંકલેશ્વરના સ્થિત ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દૂ ધર્મ સેના દ્વારા હિન્દૂ હિતચિંતક સંમેલનનું આયોજન કરાયું કરવામાં આવ્યું હતુ. જેમાં સંતો મહંતો અને ધર્મપ્રેમી જનતા જોડાય હતી.


અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર સુરત જવાના માર્ગ રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ આવેલ ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દૂ ધર્મ સેના દ્વારા હિન્દૂ હિતચિંતક સંમેલનનું આયોજન કરાયું કરવામાં આવ્યું હતુ. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને વડતાલ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીની આગેવાનીમાં સભા શરૂ કરવામાં આવી હતી. જેમાં સંતો અને હિન્દૂ સમાજના હિત માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.

બાઇટ : નૌતમ સ્વામી – અધ્યક્ષ – અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત.

આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ જિલ્લા અધ્યક્ષ અને અંકલેશ્વર રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુ, સંગઠન મંત્રી ડી. કે. સ્વામી, હિન્દૂ ધર્મ સેના સંરક્ષક માધવપ્રિયસ્વામી, મહામંત્રી મુક્તાનંદ મહારાજ, ધર્મ સમાજ ભરૂચના અધ્યક્ષ દેવુભા કાઠી, અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ધર્મપ્રેમી જનતા જોડાય હતી.

આ પ્રસંગે સંમેલન બાદ સૌ માટે ભોજન પ્રસાદી અને સંત ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સંત કલાકાર ઋષિ અગ્રવાલ, માનસિંહ ગોહિલ અને અમિત ચીખલીયાએ અદભુત ભજનો અને સંતવાણી કરી સંતો મહંતો અને જાહેર ધર્મપ્રેમી જનતાના મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં નોટોનો વરસાદ પણ જોવા મળ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: