Satya Tv News

અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર સિકોતેર માતાજીના મંદિર પાસે બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી

મૂળ કંટિયાજાળનો અને હાલ ઝઘડિયા તાલુકાના ખરચી ગામમાં રહેતો 31 વર્ષીય હિતેશ નરેશ પટેલ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.જે.5013 લઈ અંકલેશ્વર ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ વચ્ચે આબેલ સિકોતેર માતાજીના મંદિર પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: