Satya Tv News

અંકલેશ્વરના ખરોડ ગામ પાસે દંપતીનું કરુણ મોત નીપજ્યું

લક્ઝરી બસ ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું

૧ કલાકે તેણીનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

ગંભીર ઈજાઓ પહોંચતા દંપતીને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ

અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ગામ પાસે પાછળથી ધસી આવેલ લક્ઝરી બસ ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા પત્નીનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

આમોદ તાલુકાના સરભાણ ગામના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અમિત અરવિંદ વસાવા પોતાની પત્ની અમીષા વસાવા સાથે બાઈક નંબર-જી.જે.૧૬.સી.જે.૩૦૨૯ ઉપર તેની સાસરી માંગરોળ તાલુકાના મહુવેજ ખાતે જવા નીકળ્યા હતા તે દરમિયાન ગત તારીખ-૧૩મી એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગ્યે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ગામ પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ લક્ઝરી બસ ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અમીષાને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને પ્રથમ અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં રાતે ૧ કલાકે તેણીનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: