Satya Tv News

SATYA TV,

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

હાઇલાઇટ:
અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ માર્કેટમાં આગ.
બે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી.
DPMCના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
પાણીનો મારો ચલાવી આગ પર કાબુનો પ્રયાસ.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં અનેકવાર આગની ઘટના બનતી હોય છે. તેવામાં આજરોજ ભરબપોરે અચાનક સુરત તરફે જતા NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યા આજ્ઞા ગોટેગોટા આકાશમાં નજરે પડયા હતા અને અચાનક આગને પગેલ આસપાસના ભંગારના વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. આગની ઘટના અંગે અંકલેશ્વર DPMCમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

error: