Satya Tv News

ગત તારીખ-22મી જુનના રોજ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા 15 હજાર મળી કુલ 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન ભરૂચ એલસીબીએ મૂળ બોટાદ અને હાલ નવા કાસીયા ગામમાં રહેતો ઉમેશ દયાળ બગડીયાને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીનો એલસીબી પાસેથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

error: