Satya Tv News

અંકલેશ્વરની સેશન્સ કોર્ટે પ્રેમસબંધમાં બીજા લગ્ન કરી દુષ્કર્મ તેમજ એટ્રોસિટી કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે.

મૂળ ભરૂચ ખાતે રહેતો ચિરાગ નટવરભાઈ સોલંકીએ પોતે પરિણીત હોવા છતાં ઝઘડિયાના એક ગામની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બીજા લગ્ન કર્યા હતા. ભરૂચમાં નર્સ તરીકે ફરજ બજાવતી આદિવાસી યુવતીને હકીકત ખબર પડતાં તેણે રાજપારડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017 માં વિશ્વાસઘાત, દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.જે કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ચિરાગ સોલંકીને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હોવાનું આરોપીના વકીલ સુરેન્દ્ર પટેલે માહિતી આપી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે નવાજ શેખ સત્યા ટીવી અંકલેશ્વર

error: