Satya Tv News

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં ગુરૂવારે મોડી રાતે ભરૂચ-ચાવજ પગુથણ ગામેથી હાઈસ્કૂલના આચાર્યનો મૃતદેહ સાથે એક ડાયરી પણ મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાવા પામ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પૂર્વે નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આચાર્ય વિરેન ઘડિયાળી અને તેમના પરિવારનું જીવવું દુષ્કર બન્યું હતું. જેને લઇ તેઓ પોતાનું ઘર બંધ કરી ફરાર થયા થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. જે બાદ અચાનક અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે.જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. તપાસ દરમ્યાન પોલીસને ઘટના સ્થળેથી એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર ખોટી ફરિયાદ અને આક્ષેપો કરાયા હોવાની તેમજ પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યા હોવાનો ઉલ્લેખ હોવાનું હાલ તબક્કે ચર્ચાય રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: