Satya Tv News

https://www.instagram.com/reel/DAD0kprgzD1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ લગાવી રહી હતી.જોકે આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા યુવા યુસુફ શૈખની નજર પડતા તેણે દોડી આવી મહિલાને નીચે નદીમાં કુદવા જતા બચાવી લઈને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી મહિલાને બચાવી હતી.

આ અંગે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે મહિલાએ કોઈ ઝેરી દવા ગટગટાવી હતી.અને તે નદીમાં ઝંપલાવે તે પહેલા જ તેને બચાવી લેવાઈ હતી.જેથી તેણીને સારવારની અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે લોક ટોળા એકત્ર થયા હતા.જેને કારણે ટ્રાફિકજામનું પણ નિર્માણ થયું હતું. TRB ના જવાનોએ ટ્રાફિક નિયમન કરી માર્ગ રાબેતા મુજબ કરાવ્યો હતો.

error: