Satya Tv News

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા તાલુકા પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ આરંભી છે.

પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં સુરત જવાના મુખ્ય હાઇવેની બાજુમાં એક ઝાડ પર પ્લાસ્ટિક પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધા હોવાની માહિતી એક રીક્ષા ચાલાક દ્વારા તાલુકા પોલીસને કરવામાં આવી હતી. જેની જાણ થતા જ તાત્કાલિક અર્થે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી મૃતકની તપાસ કરતા કઈ આધાર પુરાવા મળી આવેલ નહિ. જેથી તાલુકા પોલીસે અંદાજિત 35 થી 40 વર્ષના યુવાનના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી હાલ તો આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી તેના વાલીવારસોની શોધખોળ આરંભી છે.

નોંધનીય છે મૃતદેહ જે અવસ્થામાં મળી આવેલ છે તે પ્રમાણે પોલીસે હત્યા છે કે આત્મહત્યા તે અંગે પણ તપાસનો દોર શરુ કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: